ધર્મ સેવાના મહત્ત્વ પર ગોએંકજીનો સંદેશ

સેવા આપતી વખતે, તમે શીખો છો કે દૈનિંદિન જીવનમાં ધર્મનો કેવી રીતે ઉપયોગ કરવો. આખિરકાર, દૈનિક જવાબદારીઓથી ભાગી જવું ધર્મ નથી. અહીં ધ્યાન શિબિરની અથવા કેન્દ્રની નાની દુનિયામાં સાધકો અને પરિસ્થિતિઓ સાથે ધર્મના અનુકૂળ વ્યવહાર કરતાં શીખી, બહારની દુનિયામાં એવી જ રીતે કામ કરવા તમે તમારી જાતને પ્રશિક્ષિત કરો છો. અનચાહી ઘટનાઓ થતી રહેવા છતાંય, તમે મનનું સંતુલન જાળવી રાખવાના પ્રયત્નોનો અને પ્રતિભાવમાં મૈત્રી અને કરુણા જગાડવાનો અભ્યાસ કરો છો. આ જ પાઠ છે જેમાં નિપુણ થવાનો તમે અહીં પ્રયત્ન કરો છો. તમે પણ એટલા જ સાધક છો જેટલા કે જેઓ શિબિરમાં બેઠા છે.

બીજાઓની વિનમ્રતાથી સેવા કરતાં શીખતા રહો. એવું વિચારતા રહો, “હું અહીં પ્રશિક્ષણમાં છું, બદલામાં કઈં અપેક્ષા રાખ્યા વિના સેવા કરવાનો અભ્યાસ કરવા. હું કામ કરું છું જે થી બીજાઓને ધર્મનો લાભ મળે. એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરી મને તેઓની મદદ કરવા દે, અને આમ કરવામાં, મારી પોતાની પણ મદદ કરું.”

તમે બધા જેઓ ધર્મ સેવા આપી રહ્યા છો ધર્મમાં પ્રબળ થાઓ. તમે બીજાઓ માટે તમારી સદ્ભાવના, મૈત્રી અને કરુણાનો વિકાસ કરતાં શીખો. તમે બધા ધર્મમાં પ્રગતિ કરો, અને સાચી શાંતિ, સાચી મૈત્રી, સાચું સુખ નો અનુભવ કરો.

એસ.એન. ગોએંકા